વડીલો વર્ષોથી સવારે વહેલા ઉઠવાની સલાહ આપે રહ્યા છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો આ સલાહનું મૂલ્ય સમજી નથી શકતા. સ્માર્ટ ફોન આવ્યા બાદ લોકો મોડા ઊંઘવું એ જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે.
આ સ્થિતિમાં તાજેતરના એક અભ્યાસમાં સવારે વહેલા ઉઠવાના ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. તે મુજબ જે લોકો સવારે વહેલા ઉઠે છે તેઓ ખુદની સાથે વધુ કનેક્ટેડ અનુભવે છે, જે તેમની માનસિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે. આ સાથે આ લોકો ડિપ્રેશન અને ચિંતા જેવા માનસિક વિકારોથી પણ દૂર રહે છે.

શું છે સ્ટડી?
આ સ્ટડી બ્રિટિશ મેડિકલ જર્નલ મેટલ હેલ્થમાં પ્રકાશિત થઈ છે. યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસમાં 49,218 ઉત્તરદાતાઓના બે વર્ષ (માર્ચ 2020 થી માર્ચ 2022) દરમિયાન 12 સર્વેક્ષણોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
સવારે માનસિક સ્વાસ્થ્યમાં સુધાર
સ્ટડી અનુસાર, સવારે માનસિક સ્વાસ્થ્યમાં વધારો જોવા મળ્યો હતો. લોકોએ જીવનમાં વધુ સંતોષ, ખુશી અને હતાશાના ઓછા લક્ષણો નોંધાવ્યા હતા. સવારે લોકો વધુ પ્રેરણા મેહસૂસ કરે છે. જે સાબિત કરે છે કે સવારની સકારાત્મક દિનચર્યા આખા દિવસને સારો બનાવી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ફાયદા પાછળનું કારણ શું?
જોકે આ સ્ટડીમાં આ રિઝલ્ટ પાછળના કારણોની તપાસ કરવામાં આવી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે સવારે માનસિક સ્વાસ્થ્યમાં સુધારો સૂર્યપ્રકાશમાં વધારો, ઊંઘની ગુણવત્તામાં સુધારો, નવી પ્રેરણા અને ઉદ્દેશ્ય જેવા અનેક પરિબળોને કારણે હોઈ શકે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.