× Special Offer View Offer

સંથારો શું હોય છે? માત્ર સાડા ત્રણ વર્ષની બાળકી માટે તેના માતા-પિતાએ કેમ પસંદ કર્યો મૃત્યુનો આ માર્ગ?

WhatsApp Group Join Now

મધ્યપ્રદેશના ઈંદોરથી આવેલા સમાચારે સહુને ચોંકાવી દીધા છે. 3 વર્ષની દીકરી વિયાનાએ સંથારો લીધો અને પ્રાણત્યાગી દીધા છે. આ બાળકી બ્રેન ટ્યુમરથી પીડિત હત.

જૈન ધર્મની આ પરંપરાને અપનાવ્યા બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું આ ધાર્મિક પ્રક્રિયા છે કે પછી બીજુ કંઈક, આવો તેને સરળ ભાષામાં સમજીએ.

વિયાનાને હતુ બ્રેન ટ્યુમર

ઈંદોરમાં જૈન પરિવારની આ બાળકી વિયાનાને જાન્યુઆરી 2025માં બ્રેન ટ્યુમરની જાણ થઈ હતી. સારવાર બાદ થોડી રાહત થઈ પરંતુ માર્ચ મહિનામાં ફરી તબિયત લથડી ગઈ. પરિવારે ઈંદોર અને મુંબઈમાં સારવાર કરાવી પરંતુ કોઈ આશા બચી નહીં.

સંથારાનું મળ્યુ સૂચન

એવામાં બાળકીના માતાપિતા બાળકીને એક જૈન મૂનિ પાસે લઈ ગયા. આ મુનિએ વિયાનાની હાલત જોઈને સંથારો કરવાની સલાહ આપી, પરિવાર પહેલાતી જ મુનિને ખૂબ માનતો હોવાથી તેમણે મુનિની સલાહ માનવાનું નક્કી કર્યુ.

આ મુનિએ અગાઉ 107 જેટલા સંથારાનું સંચાલન પણ કર્યુ હતુ. પરિવારની સહમતિ બાદ આ પ્રક્રિયા શરૂ થઈ અને અડધા કલાકની અંદર જ વિયાનાએ તેની આંખો હંમેશા માટે બંધ કરી લીધી.

શું હોય છે સંથારો?

સંથારો જૈન ધર્મની એક ખાસ પરંપરા છે. જેમા વ્યક્તિ તેના જીવનના અંતિમ સમયમાં ખાવા-પીવાનુ ત્યાગી દે છે. આ નિર્ણય સમજી-વિચારીને લેવામાં આવે છે. તેમા કોઈ જ જાતનો દબાવ નથી હોતો અને ન તો કોઈ નિરાશાને કારણે આ પગલુ લે છે.

વ્યક્તિ પોતાની જાતને શરીરથઈ અલગ ગણીને ધીરે ધીરે દુનિયાથી દૂર થવા લાગે છે. તેનો ઉદ્દેશ્ય મનને શાંતિ આપવાનો અને આત્માને મોક્ષની તરફ લઈ જવાનો હોય છે.

સવાલોના ઘેરામાં આવી સંથારાની પ્રક્રિયા

સંથારાને લઈને હંમેશા સવાલ ઉઠી રહ્યો છે કે શું સંથારો આત્મહત્યા છે. જૈન ધર્મમાં તેને આત્મહત્યા નથી માનતા. આત્મહત્યા ગુસ્સો, ડર કે દુ:ખના કારણે થાય છે.

સંથારો શાંતિ અને સંયમ મમાટે કરવામાં આવે છે. આમા વ્યક્તિ ન તો જીવનથી ભાગે છે કે ન તો કોઈ પીડાથી ડરે છે. તે પોતાના જીવનના અંતિમ દિવસોને ધ્યાન, વિચાર અને શાંતિથી વિતાવવા માગે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જો કે સંથારો દરેક વ્યક્તિ માટે નથી. તેને લેવા માટે વ્યક્તિએ માનસિક રીતે મજબુત અને આધ્યાત્મિક રીતે જાગૃત થવાની જરૂર હોય છે. સામાન્ય રીતે તો વૃદ્ધ અને લાંબા સમયથી બીમાર લોકો જ અપનાવે છે.

બાળકો કે નબળા મનના લોકો તેને અપનાવતા નથી. પરંતુ વિયાનનો કેસ અલગ હતો. તેનો પરિવાર મુનિ સાથે ધાર્મિક વિશ્વાસથી જોડાયેલો હતો.

સંથારાને લઈને અલગ અલગ પ્રતિભાવ

આ ઘટના બાદ અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે. સંથારા માટે અલગ અલગ રાય છે. કેટલાક લોકો તેને ધાર્મિક સ્વતંત્રતા માને છે તો કેટલાક લોકો તેને આત્મહત્યા માને છે. તેના પર દલીલો થઈ રહી છે.

જ્યારે વિયાનાની ઘટના ઘણી દુઃખદ છે. પરંતુ આ ઘટના આપણને જીવનનું મહત્વ અને મૃત્યુની વાસ્તવિક્તા વિશે વિચારવાનો મોકો આપે છે. આપણે એ પણ યાદ રાખવુ જોઈએ કે દરેક વ્યક્તિને તેની આસ્થા અને વિશ્વાસ અનુસાર જીવવાનો અધિકાર છે.

WhatsApp Group Join Now

Leave a Comment