× Special Offer View Offer

જ્યાં હાલમાં તાજમહેલ છે, તે જમીન પર પહેલા શું હતું? જાણો ચોંકાવનારો દાવો…

WhatsApp Group Join Now

ઉત્તર પ્રદેશના આગરામાં આવેલા તાજ મહેલથી તો તમે માહિતગાર હશો જ. માત્ર ભારત જ નહી, પરંતુ દુનિયાભરના લોકો તાજ જોવા ભારત આવે છે. પ્રેમની નિશાની તરીકે ફેમસ તાજ મહેલની સુંદરતા પહેલી નજરે જ ગમી જાય તેવી છે.

મુઘલ રજા શાહજહાંએ પત્ની મુમતાજની કબર માટે બનાવેલો છે આ આલીશાન મહેલ પરંતુ તાજમહેલ જે જમીન પર બનાવવામાં આવ્યો હતો ત્યાં પહેલા શું હતું? તે જમીન કોની હતી? તેનાથી ખૂબ જ ઓછા લોકો માહિતગાર હશે.

દુનિયાભરના લોકો દુનિયાના અજાયબીઓમાંના એક તાજમહેલની સુંદરતા જોવા માટે આવે છે. પણ શું તમે જાણો છો કે તાજમહેલ જ્યાં છે ત્યાં પહેલા શું અસ્તિત્વમાં હતું અને આ જમીન કોની માલિકીની હતી? તો અમે તમને જણાવીશું આનો ઇતિહાસ.

તમને જાણીને નવાઇ લાગશે કે સુંદર તાજમહેલ પહેલા અહિંયા એક હિંન્દુ રાજાનું રાજ હતું. આ જમીન એક રાજાની હતી. આના ઇતિહાસની વાત કરીએ તો અબ્દુલ હમીદ લાહોરીના પુસ્તક (નિકોલ, 2018 શાહજહાં : ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ મુઘલ સમ્રાટ) માં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

તાજમહેલ માટે પસંદ કરાયેલી આ જમીન યમુનાની કોણીની આસપાસ ઊંચી જમીન પર સ્થિત મિર્ઝા-રાજા જયસિંહ (અંબરનો કછવાહા રાજપૂત) નું નિવાસસ્થાન હતું. અબ્દુલ હમીદ લાહોરીના પદશાહનામા (નિકોલ, ૨૦૧૮, શાહજહાં: મુઘલ સમ્રાટનો ઉદય અને પતન) માં જયસિંહના નિવાસસ્થાનને “ભવ્ય ગુંબજવાળી ઇમારત” તરીકે વર્ણવવામાં આવી હતી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

કાઝવિનીના પાદશાહનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જયસિંહે તાજમહેલ માટે “જમીનનો એક ભાગ” દાનમાં આપ્યો હતો, જ્યાં અગાઉ તેમના દાદા રાજા માનસિંહનું “ઘર” (ખાનું) હતું.

શાહજહાંએ તેના પર તાજમહેલ બનાવવા માટે તેને કાચવાહ પાસેથી ખરીદ્યું હતું. જેના બદલામાં , મુઘલ બાદશાહે કાચવાહોને ચાર હવેલીઓ આપી હતી. જો કે વળતરમાં આપેલી આ હવેલીઓ વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. જો કે આજે પણ તાજમહેલની ચમક દરેક લોકોનું મન મોહી લે છે.

WhatsApp Group Join Now

Leave a Comment