ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં દેશી ઘીનો ઉપયોગ ફક્ત ખોરાક માટે જ નહીં પણ દવા તરીકે પણ થાય છે. તેમાં જરૂરી ફેટી એસિડની સાથે, હેલ્થી ફેટ, વિટામિન A, D, E અને K અને એન્ટીઑકિસડન્ટ પણ હોય છે.
ઉલ્લેખનીય છે કે, પ્રોસેસ્ડ ઓઈલની તુલનામાં, ઘીમાં શોર્ટ-ચેઇન અને મીડિયમ-ચેઇન ફેટી એસિડ હોય છે જે તરત જ એનર્જી આપવાનું કામકરે છે અને મેટાબોલિક એક્ટિવિટીને સપોર્ટ કરે છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ઘી બાળકો માટે ફાયદાકારક છે કે નહીં અને બાળકોને કઈ ઉંમરે ઘી ખવડાવવું જોઈએ?

દેશી ઘી બાળકો માટે છે સુપર ફૂડ?
હેલ્થ એક્સપર્ટના મતે દેશી ઘીમાં અનેક જરૂરી પોષક તત્વો હોય છે જે બાળકોના ગ્રોથ માટે ફાયદાકારક માનવામાં આવે છે. બાળકના જન્મના 6 મહિના બાદ બાળકોને ઘી ખવડાવી શકાય છે. તમે દેશી ઘીમાં બાળકનો ખોરાક બનાવી શકો છો. ચાલો જાણીએ કે બાળકો માટે ઘી કેમ સુપર ફુડ માનવામાં આવે છે.
પોષક તત્વોથી ભરપૂર
ઘીમાં ફેટ સોલ્યુબલ વિટામિન A, D, E અને K હોય છે, જે હાડકાની મજબૂતાઈ, રોગપ્રતિકારક શક્તિ અને ઓવરઓલ હેલ્થ માટે જરૂરી માનવામાં આવે છે.
એનર્જી બૂસ્ટર
ઝડપી વૃદ્ધિને કારણે બાળકોને પુખ્ત વયના લોકો કરતાં ઘણી વધુ એનર્જીની જરૂર પડે છે. આથી ઘી તેમની એક્ટિવિટી માટે તાત્કાલિક એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે.
બ્રેઈન ડેવલોમેન્ટને કરે છે સપોર્ટ
ઘીમાં સામેલ ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડ મગજના વિકાસમાં અને યાદશક્તિમાં સુધારો કરવામાં મદદ કરે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પાચન સુધાર
ઘીમાં બ્યુટીરિક એસિડ હોય છે, જે ગટ હેલ્થને સપોર્ટ કરે છે અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે.
બાળકોને કેવી રીતે અને કેટલું ઘી ખવડાવવુ?
9-1 મહિનાના બાળકો માટે દિવસમાં બે વાર અડધી ચમચી. એક વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે દિવસમાં બે વાર એક ચતુર્થાંશ ચમચી.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










