આજની ઝડપી અને વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં નાની ઉમરે વાળ સફેદ થવા એ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. કોઈપણ ઉંમરે વાળ સફેદ થવાથી આત્મવિશ્વાસ પર અસર પડે છે.
આ સાથે જ લોકો વાળને કાળા કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે અને હેર ડાયથી લઇને ઘણી વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે.

કુદરતી રીતે વાળ કાળા કરો
આમ જોવા જઈએ તો તમે નેચરલ રીતે પણ વાળને કાળા કરી શકો છો. આ માટે તમે કેટલીક દેશી પદ્ધતિઓ પણ ફોલો કરી શકો છો. આનાથી તમારા સફેદ વાળા કાળા થઈ જશે, પરંતુ તેની કોઈ આડઅસર થતી નથી. આ આર્ટિકલમાં અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક ઘરેલુ ઉપાયો જેને તમે ફોલો કરી શકો છો.
આમળા
આયુર્વેદમાં આમળાને અમૃત સમાન ગણવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જે વાળને મૂળથી મજબૂત બનાવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તેનું સેવન કરવાથી વાળ નેચરલી કાળા થઇ જાય છે. તમે વાળમાં નાળિયેર તેલમાં આમળાનું તેલ અથવા આમળાના પાવડરને ભેળવીને ખોપરી ઉપરની ચામડીની માલિશ પણ કરી શકો છો.
મીઠા લીમડાના પાંદડા અને નાળિયેરનું તેલ
વાળ કાળા કરવા માટે તમે કરી પાંદડા અને નાળિયેર તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે કોપરેલ તેલમાં મીઠા લીમટાના પાન ઉકાળો અને તેલ ઠંડુ થાય એટલે તેને વાળના મૂળમાં લગાવો. તેનાથી વાળને પોષણ તો મળે જ છે સાથે સાથે વાળ મૂળથી કાળા કરી દે છે.
ભૃંગરાજ
સફેદ વાળ કાળા કરવા માટે તમે ભૃંગરાજનો ઉપયોગ પણ કરી શકો છો. હકીકતમાં આયુર્વેદમાં ભૃંગરાજને ‘વાળનો રાજા’ કહેવામાં આવે છે. તેને લગાવવાથી વાળ સફેદ માંથી કાળા થઈ જાય છે, ઉપરાંત તે વાળના ગ્રોથ માટે વધુ સારા છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










