મિલકતને લઈ બધાને અલગ-અલગ અધિકાર આપવામાં આવ્યા છે. આ રીતે એક અધિકાર માતાની સંપત્તિને લઈને પણ હોય છે. શું તમે જાણો છો કે, માતાની સંપત્તિ પર કોનો અધિકાર હોય છે?
પિતાની જેમ માતા પણ કમાયેલી કે મેળવેલી સંપત્તિ વારસામાં મેળવે છે.જો કે, મિલકત કોના નામે ટ્રાન્સફર કરવી તે નક્કી કરવાનો અધિકાર માત્ર માતાને જ હોય છે.

માતા જીવિત હોય ત્યારે, પુત્ર કે પુત્રી માતાની મિલકત પર હકનો દાવો કરી શકતા નથી. જો માતા ઈચ્છે તો, તે પોતાની મિલકત વસિયતનામા દ્વારા કોઈપણના નામે ટ્રાન્સફર કરી શકે છે.
જો વસિયત લખ્યા બાદ માતાનું મૃત્યું થઈ જાય છે. તો દીકરો કે દીકરીને સંપત્તિ મળી શકે છે. પરંતુ વસિયતમાં દીકરા દીકરીના નામ હોવા જોઈએ, આ પ્રથમ શ્રેણીના ઉત્તરાધિકારી હશે.
જો દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. તો પણ તેમને તેની માતાની સંપત્તિ પર એટલો જ અધિકાર છે. જેટલો અધિકાર દીકરાને હોય છે.દીકરી માતાની સંપત્તિમાં ભાગ માંગી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો કોઈ અપરિણીત સ્ત્રી જે મિલકતની માલિકી ધરાવે છે તે વસિયતનામા લખ્યા વિના મૃત્યુ પામે છે, તો પિતાને મિલકત પર અધિકાર છે. જો પિતા ન હોય, તો ભાઈઓ અને બહેનો દાવેદાર બની શકે છે.