× Special Offer View Offer

Spices: હળદર, મરચું કે જીરું સારું છે કે નહીં તે માત્ર 5 મિનિટમાં ખબર પડી જશે, આ રીતે ચેક કરો મસાલા અસલી છે કે નકલી…

WhatsApp Group Join Now

બાર મહિનાના મસાલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ગૃહિણીઓ આ સમય દરમિયાન બજારમાંથી વર્ષની જરૂર અનુસારના મસાલા ખરીદીને આખા વર્ષ માટે સ્ટોર કરી લે છે. ઘણા લોકો ઘણા મસાલા ખરીદીને તેને પીસાવીને પાવડર બનાવે છે તો કેટલાક લોકો તૈયાર મસાલા ખરીદે છે.

આજકાલ બધી જ વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે તે રીતે મસાલામાં પણ ભેળસેળ થતી હોય છે. મસાલામાં ભેળસેળ કરવા માટે લાકડાનો ભૂકો, ઈંટનો ભુક્કો, પપૈયાના બી, કૃત્રિમ કલર, કોલસાનો ભૂકો, સ્ટાર્ચ જેવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ઉમેરેલો મસાલો ખાવાથી તબિયત પણ બગડી શકે છે.

જ્યારે તમે આખા વર્ષ માટે મસાલાની ખરીદી કરતા હોય તો થોડી સાવધાની રાખવી જરૂરી છે. જો તમે થોડી સાવધાની રાખશો તો સરળતાથી મસાલા અસલી છે કે નકલી તે જાણી શકશો.

આજે તમને એવી સરળ ટિપ્સ જણાવીએ જેની મદદથી તમે ઘરે 5 જ મિનિટમાં ચેક કરી શકશો કે મસાલા સારા છે કે નહીં. આખા વર્ષના મસાલા ભરતા પહેલા થોડા મસાલા ખરીદીને આ ટેસ્ટ કરી લેવો જોઈએ. જેનાથી મસાલા અસલી છે કે ભેળસેળવાળા તે પણ ખબર પડી જશે.

લાલ મરચું પાવડર

લાલ મરચું પાવડર ભોજનમાં સ્વાદ વધારવાની સાથે કલર પણ વધારે છે. મોટાભાગે લાલ મરચામાં લાલ કલરનો અને ઈંટના ભૂકાનો ઉપયોગ થતો હોય છે. બજારમાંથી મસાલો ખરીદતા પહેલા મરચું પાવડરનું સેમ્પલ લઈને ઘરે આ ટેસ્ટ કરી લેવો. તેના માટે એક ગ્લાસ પાણીમાં મરચું પાવડર ઉમેરો.

જો મરચું પાવડર શુદ્ધ હશે તો તે પાણી ઉપર તરશે અને ધીરે ધીરે નીચે બેસી જશે. જો પાવડરમાં મિલાવટ હશે તો પાણીમાં તુરંત જ ડૂબી જશે અને કલર પણ તરત જ લાલ થઈ જશે.

હળદર

હળદરમાં પણ ભેળસેળ કરવામાં આવે છે. હળદરનો ઉપયોગ ભોજનની સાથે ઔષધી તરીકે પણ કરવામાં આવે છે તેથી તે શુદ્ધ હોય તે જરૂરી છે. હળદરમાં ભેળસેળ છે કે હળદર શુદ્ધ છે તે જાણવા માટે પણ પાણીનો ઉપયોગ કરી શકાય છે. પાણીના એક ગ્લાસમાં એક ચમચી હળદર મિક્સ કરો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

હળદર શુદ્ધ હશે તો પાણીનો રંગ આછો પીળો થશે અને હળદર ધીરે ધીરે પાણીમાં નીચે જશે. જો હળદરમાં કોઈપણ વસ્તુ મિક્સ કરવામાં આવી હશે તો તે તુરંત જ તળિયે બેસી જશે અને પાણીનો રંગ પણ સૂર્યમુખી જેવો ચમકદાર પીળો થઈ જશે.

જીરૂં

જીરું હાથમાં લઈને બંને હથેળી વચ્ચે રાખી થોડું રગડવું જોઈએ. જો જીરું શુદ્ધ હશે તો તેમાંથી ગંદકી નહીં નીકળે અને સુગંધ આવવા લાગશે. જો જીરામાં ભેળસેળ હશે તો હથેળીમાં કાળો મેલ દેખાવા લાગશે.

હિંગ

હિંગ નો ઉપયોગ પણ રોજ રસોઈમાં થાય છે તેથી હિંગ પણ શુદ્ધ હોય તે જરૂરી છે. હિંગની ઓળખ કરવી હોય તો ગેસ ઉપર થોડી હિંગને રાખો. જો હિંગ અસલી હશે તો સરળતાથી બળી જશે. નકલી હિંગ હશે તો તે બળશે નહીં.

WhatsApp Group Join Now

Leave a Comment