આજકાલ જે રીતે લોકો નાની ઉમરે પણ હૃદયરોગનો ભોગ બની રહ્યા છે તેનાથી બચવું જરૂરી છે. આજકાલ 20-22 વર્ષની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો ભોગ બનવા લાગ્યા છે.
WHO મુજબ, દર વર્ષે 1.79 કરોડ લોકો હૃદય સંબંધિત રોગને કારણે મૃત્યુ પામે છે. હૃદય રોગનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી છે. એનો અર્થ એ કે જો આપણે જીવનશૈલીમાં સુધારો કરીએ, તો આપણે હૃદય રોગની મોટાભાગની સમસ્યાઓથી બચી શકીએ છીએ. તેમાં વધારે મહેનતની પણ જરૂર નથી. રાત્રે સૂતા પહેલા તમારે ફક્ત કેટલીક આદતો બદલવી પડશે.

રાત્રે સૂતા પહેલા કરો આ ફેરફારો
(1) વધારે પડતું ન ખાઓ
રાત્રે વધારે પડતું કે ભારે ખોરાક ન ખાઓ. રાત્રે સૂવાના 2-3 કલાક પહેલા હળવું ભોજન લેવાનો પ્રયાસ કરો. રાત્રે સુવાના ઓછામાં ઓછા 4 કલાક પહેલા જંવુ જોઈએ.
(2) દારૂ
દારૂ એ એક મોટો દુશ્મન છે. જો તમે હૃદય સંબંધિત સમસ્યાઓથી બચવા માંગતા હો, તો રાત્રે ક્યારેય દારૂ ન પીવો કે સિગારેટ ન પીવો. બપોરે ૩ વાગ્યા પછી કેફીન કે કોફી પણ ન લો.
(4) સૂતા પહેલા ઊંડા શ્વાસ લેવા
હૃદય રોગનું સૌથી મોટું પરિબળ છે તણાવ. તણાવ ઓછો કરવા માટે સવારે યોગ અને ધ્યાન કરો. રાત્રે સૂતા પહેલા લાંબા ઊંડા શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો. આ લગભગ 5 મિનિટ સુધી કરો. તમે ધ્યાન પણ કરી શકો છો. તમારા શરીરને પણ થોડું સ્ટ્રેચ કરો.
(5) સ્ક્રીન ટાઇમ
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
રાત્રે સૂવાના એક કલાક પહેલા દરેક પ્રકારની સ્ક્રીન બંધ કરી દો. વાઇ-ફાઇ પણ બંધ કરી દો. જો તમે સૂતી વખતે મોબાઈલ, ટીવી કે કોઈપણ ગેજેટનો ઉપયોગ કરો છો, તો માત્ર હૃદય જ નહીં પરંતુ શરીરના દરેક ભાગને અસર થશે.
(5) બેડરૂમને ઠંડો કરો
જો તમે ખરાબ વાતાવરણવાળા રૂમમાં સૂશો, તો તમે સારી રીતે ઊંઘી શકશો નહીં. તેથી, રૂમમાં પલંગ યોગ્ય રીતે મૂકો. યોગ્ય ગાદલાનો ઉપયોગ કરો અને રૂમમાં અંધારું કરો. જેથી તમે શાંત અને ઠંડકવાળા વાતાવરણમાં ખલેલ વગર શાંતિથી ઊંઘી શકો.
(6) આગળના દિવસની તૈયારી
જેમ પહેલા કહ્યું તેમ, તણાવ હૃદય રોગના સૌથી મોટા કારણોમાંનું એક છે. આવી સ્થિતિમાં, જો તમે રાત્રે સૂવા જાઓ છો અને આવતીકાલે કોઈ વાતની ચિંતા કરો છો, તો તે તમને તણાવમાં મૂકશે. તેથી, આવતીકાલે શું કરવું તેની સંપૂર્ણ યોજના બનાવો અને તેને લખી લો. જેમ કે આવતીકાલના અગત્યના કામ , મિટિંગ, કયા કપડાં પહેરવા, તેને ઇસ્ત્રી કરવી, શું રસોઈ કરવી વગેરે વગેરે.. બાબતોનું આયોજન કરવાથી મન તણાવમુક્ત રહેશે અને ઊંઘ પણ સારી આવશે.
(7) પાણી ખૂબ જરૂરી
એ વાતનું ધ્યાન રાખો કે રાત્રે તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ના થઈ જાય માટે રાત્રે સૂતા પહેલા પાણી ચોક્કસ પીવો. દૂધ પીતા હોવ તો પણ પાણી ચોક્કસ પીવો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.