Healthy Routine: વર્ષો પહેલા દાદા-પરદાદા આયુર્વેદમાં દર્શાવેલા ડેલી રુટીન પ્રમાણે દિવસના મહત્વના કામ કરતા હતા. જેના કારણે તેમની હેલ્ધી મોટી ઉંમરે પણ સારી રહેતી. આજે પણ હેલ્ધી રહેવા અને વજન ઘટાડવા માટે આ નિયમો ફોલો કરી શકાય છે.
આ નિયમોને કોઈપણ વ્યક્તિ અપનાવી શકે છે. આ નિયમોનું પાલન કરીને હેલ્ધી રહેવું સરળ થઈ જાય છે. હેલ્ધી રહેવાના 10 સ્ટેપ કયા છે ચાલો જાણીએ.
હેલ્ધી રુટીનના 10 સ્ટેપ
૧. હેલ્ધી રહેવાનો સૌથી પહેલો નિયમ છે સવારે સૂર્યોદય પહેલા જાગી જવું. સવારે વહેલા જાગી જવાથી બોડી ક્લોક સારી રીતે કામ કરે છે. દિવસની શરુઆત સમયસર થાય તો બોડીને ડિટોક્સ થવામાં મદદ મળે છે. નિયમિત સવારે વહેલા જાગી જવાથી ફોકસ વધે છે.

૨. સવારે જાગીને સૌથી પહેલા એક કે બે ગ્લાસ પાણી પીવું જોઈએ. સવારે સૌથી પહેલા પાણી પીવાથી લિવર સરળતાથી ડિટોક્સ થાય છે અને પાચન સારું રહે છે.
૩. પાણી પીધા પછી તાડાસન કરવું લાભકારી છે. આ સ્ટ્રેચ એક્સરસાઈઝ કરવાથી કરોડરજ્જુ સીધી થાય છે અને માઈંડ રિલેક્સ કરવામાં મદદ મળે છે.
૪. દાંત અને પેઢાની સફાઈ પહેલાના સમયમાં સરસવના તેલ અને મીઠાથી થતી હતી. તેનાથી દાંત પરની પીળી ઝાંઈ દુર થતી અને દાંતના બેક્ટેરિયા દુર થઈ જતા.
૫. આયુર્વેદના નિયમ અનુસાર રોજ 10 મિનિટ પ્રાણાયામ અથવા કોઈપણ કસરત કરવાનો નિયમ હોવો જોઈએ. રોજ તેને ફોલો કરવાથી હેલ્ધી રહી શકાય છે.
૬. આયુર્વેદમાં સૂર્ય સ્નાનનું પણ મહત્વ દર્શાવેલું છે. એટલે કે સવારના સૂર્યના તડકામાં થોડીવાર બેસવું. જેનાથી શરીરને વિટામિન ડી મળી શકે અને હાડકા મજબૂત થાય.
૭. ભોજનમાં શાક, ફળ સહિતની વસ્તુઓનો સમાવેશ કરવો અને ભોજનના અંતે એટલે કે સૌથી છેલ્લે છાશ પીવી, તેનાથી પાચન ઝડપી થાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
૮. દિવસ હોય કે રાત ભોજન પછી યુરિન પાસ કરવાનો નિયમ આયુર્વેદમાં દર્શાવેલો છે. તેનાથી કિડની સ્વસ્થ રહે છે અને બોડીના ટોક્સિન સરળતાથી બહાર નીકળી જાય છે.
૯. હેલ્ધી રહેવા માટે ચા-કોફી અને કોલ્ડ ડ્રિંક્સથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે.
૧૦. આયુર્વેદના નિયમ અનુસાર સપ્તાહમાં 1 વાર ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસના દિવસે ફક્ત લીંબુ પાણી પીવું જેથી બોડી ડિટોક્સ થઈ શકે છે. આજના સમયમાં ફક્ત લીંબુ પાણી પીને રહેવું મુશ્કેલ છે તેથી ફળ ખાઈને દિવસ પસાર કરી શકાય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










