Adra Nakshatra 2024: નૈઋત્યના ચોમાસું દક્ષિણ ગુજરાતના નવસારી સુધી આવીને ઘણા દિવસથી ત્યાં સ્થિર થઈને બેઠું છે. જોકે હવે આદ્રા નક્ષત્ર શરૂ થવાનું છે અને આદ્રા નક્ષત્રમાં જ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારમાં આગેકૂચ કરશે. બીજી બાજુ હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હોવાથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે જેઠ સુદ 14ને શુક્રવાર તારીખ 21/06/2024 ના રોજ થશે. સૂર્યનારાયણ રાત્રે 12 વાગીને 18 મિનિટે આ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રનું વાહન મોર છે. 5/7/24 સુધી આ નક્ષત્ર રહેશે.

આદ્રા નક્ષત્રની લોકવાયકા:
“મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા“
આદ્રા નક્ષત્રની લોકવાયકા મુજબ, મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે છે. એટલે કે આ વખતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ખુબ પવન ફુંકાયો હતો, તેથી લોકવાયકા મુજબ, આદ્રા નક્ષત્રમાં પણ પુષ્કળ વરસાદ પડી શકે છે.
ભડલી વાક્ય અનુસાર, જો આદ્રા નક્ષત્રમાં વરસાદનું આગમન થાય તો બારે માસ પાણીની કોઇ સમસ્યા રહેતી નથી. આગામી ગુરુવારથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે.
રાજ્યમાં 26 જૂનથી હવામાનમાં ભેજનું પ્રમાણ વધવાથી આગળ વધીને 28 જૂન આસપાસ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડવાનાં સંજોગો ઉભા થશે. એટલે કે જૂનનાં છેલ્લા સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાવણી જોગ વરસાદ પડવાની પુરી શક્યતા દેખાય છે.
આદ્રા નક્ષત્રને ચોમાસાનો દરવાજો ગણવામાં આવે છે. કેમ કે આદ્રા નક્ષત્ર બેસતા જ હવામાં ભેજનું પ્રમાણ વધતું હોય છે. આકાશમાં ઘનઘોર વાદળાનું પ્રમાણ પણ ભરચક જોવા મળતું હોય છે. કેમકે આદ્રા નક્ષત્રએ ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણાય છે.
આ નક્ષત્રમાં જાણે ચોમાસું બેસી ગયું હોય એવો અનુભવ થતો હોય છે. મિત્રો જે જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થયો હોય, તે વર્ષ લગભગ સારું જ પસાર થયું હોય છે. આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
મિત્રો આદ્રા નક્ષત્રનો વરસાદ જે ચોમાસા માટે એક સોનાની કડી સમાન ગણવામાં આવે છે. જો આ નક્ષત્રમાં વરસાદની શરૂઆત ધમાકેદાર થાય તો, લગભગ તે વર્ષે બધા જ વરસાદના નક્ષત્રોમાં વધતો ઓછો વરસાદ જોવા મળતો હોય છે. આવી એક લોકવાયકા જોવા મળી રહી છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.