ડિજિટલ યુગમાં જેમ જેમ ચુકવણી પદ્ધતિઓ બદલાઈ રહી છે, તેમ તેમ તેમના પર દેખરેખ પણ વધી ગઈ છે. તમે ઓનલાઈન કેટલી રકમ ચૂકવો છો કે રોકડથી કોઈ વસ્તુ ખરીદો છો – આવકવેરા વિભાગ હવે આ બધું ધ્યાનમાં લે છે.
જો તમે એવું વિચારો છો કે આવકવેરા વિભાગને જ્યારે સુધી તમે ખુદ ન જણાવો ત્યાં સુધી તેમને ખબર નહીં પડે – તો એ ખોટું છે. આવી ભૂલ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ચાલો, એવી 5 રોકડ આર્થિક વ્યવહાર પદ્ધતિઓ પર નજર કરીએ જેનાથી આવકવેરા વિભાગ તમારી તરફ ધ્યાન આપી શકે છે:

બચત ખાતામાં મોટી રકમ જમા કરાવવી: જો તમે નાણાકીય વર્ષ દરમિયાન તમારા બચત ખાતામાં ₹10 લાખથી વધુ રકમ જમા કરાવો છો, તો બેંક આવકવેરા વિભાગને આ માહિતી આપી શકે છે. ત્યારબાદ વિભાગ તમારી પૂછપરછ કરી શકે છે.
નોટિસ મળવી એનું અર્થ એવું નથી કે તમે કરચોરી કરી છે, પરંતુ તમને પુછવામાં આવશે કે આ રકમ ક્યાંથી આવી. જો તમારા જવાબો સંતોષકારક ન હોય, તો દંડ પણ લાગૂ થઈ શકે છે.
FDમાં મોટી રકમ જમા કરાવવી: જો તમે ફિક્સ ડિપોઝિટ (FD)માં ₹10 લાખથી વધુ જમા કરાવો છો, તો પણ તમારું નામ ટેક્સ રડાર હેઠળ આવી શકે છે. આવકનો સ્ત્રોત જણાવવો ફરજિયાત બની શકે છે.
શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ: જો તમે શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં ₹10 લાખથી વધુનું રોકાણ કરો છો, તો તેની જાણકારી પણ આવકવેરા વિભાગ સુધી પહોંચી શકે છે. એના આધારે તમને નોટિસ મળી શકે છે. જોકે, દરેક વખતે નોટિસ આવે એ જરૂરી નથી, પણ તમે તેમના રડારમાં આવી શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવવું: જો તમે દર મહિને ક્રેડિટ કાર્ડનું બિલ ₹1 લાખથી વધુ રકમમાં ચેક અથવા ઑફલાઇન રીતે ચૂકવો છો, તો આવકવેરા વિભાગ આ પર ધ્યાન આપી શકે છે અને નોટિસ આપી શકે છે.
મિલકત ખરીદતી વખતે રોકડ ચુકવણી: જો તમે ₹30 લાખથી વધુ કિંમતની મિલકત ખરીદો છો અને તેમાં કોઈ પણ પ્રકારની રોકડ ચુકવણી કરો છો, તો તેનું નોંધાવવું જરૂરી છે. કેટલાક શહેરોમાં આ મર્યાદા ₹20 લાખ અથવા ₹50 લાખ પણ હોઈ શકે છે. આવકવેરા વિભાગ તમારા આવકના સ્ત્રોત વિશે વિગતો માંગે તેવી શક્યતા ઊભી થાય છે.