અંબાલાલ પટેલે કરી પાંચ મોટી આગાહી; વાવણીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે?

WhatsApp Group Join Now

નક્ષત્ર પરથી વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે વરસાદી વાતાવરણ સક્રિય બનતા ફરી આજે નવી નકોર આગાહી કરી છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં વગર વરસાદે ચોમાસુ પહોંચી ગયુ હતું જે ત્રણ-ચાર દિવસ રહીને આજે ફરીથી સક્રિય બની આગળ વધ્યું છે. વાતાવરણમાં પલટો આવતા અને ચોમાસુ સક્રિય થતાં અંબાલાલ કાકાએ આગાહી કરી છે.

અંબાલાલ પટેલેની નવી આગાહી
ચોમાસાની એક્ટિવિટી સક્રિય બનતા અંબાલાલ પટેલે કરી વાવણીલાયક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 25 જૂનથી 3 જુલાઈ સુધીમાં ભારે વાવણીલાયક વરસાદ થશે. જૂન મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત પાણીથી તરબોળ થઇ જશે. અંબાલાલ પટેલની નવી આગાહી નીચે મુજબ છે.

1) અંબાલાલની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે.

2) અંબાલાલની આગાહી અનુસાર, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વાવણી લાયક વરસાદ થશે.

3) વધુમાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ, વડોદરા, આણંદ, અને પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

4) અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

5) ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત પાણીથી તરબોળ થશે.

૨૨ જુનથી આદ્રા નક્ષત્રની શરૂઆત થશે. આદ્રા નક્ષત્રની શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. હાલમાં વરસાદનું મૃગશીર્ષ નક્ષત્ર ચાલે છે. આદ્રા નક્ષત્રમાં અષાઢી બીજનો પણ સમાવેશ થાય છે. તારીખો પ્રમાણે અષાઢી બીજ પહેલા ગુજરાતમાં વાવણીલાયક વરસાદ પડશે તેવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment