શું આધાર કાર્ડ (Aadhaar Card) ને લગતી આ માહિતી વિશે ખબર છે? જાણો આધાર કાર્ડને લઈને મહત્વની જાણકારી

Aadhaar Card Update: આધાર કાર્ડ (Aadhaar Card) એ ભારતના નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે થાય છે. ઉપરાંત, આ દસ્તાવેજ ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આધાર કાર્ડ એ 12 અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે જે ભારત સરકાર દ્વારા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Unique Identification Authority of India – UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. આ નંબર ભારતમાં ગમે ત્યાં ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે.

ઈન્ડિયા પોસ્ટ દ્વારા મળેલ આધાર કાર્ડ અને UIDAI વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ ઈ-આધાર સમાન રીતે માન્ય છે. કોઈપણ વ્યક્તિ, વય અને લિંગને ધ્યાનમાં લીધા વિના, જે ભારતનો રહેવાસી છે અને UIDAI દ્વારા નિર્ધારિત ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરે છે, તે આધાર માટે નોંધણી કરાવી શકે છે.

વ્યક્તિઓએ ફક્ત એક જ વાર નોંધણી કરવાની જરૂર છે. જો કે, ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે આધાર કાર્ડમાં કેટલાક અપડેટ કરવા પડે છે. આધાર કાર્ડમાં આ અપડેટ પણ સરળતાથી કરી શકાય છે. આમાં લોકો એડ્રેસ પણ અપડેટ કરાવી શકે છે. જોકે લોકો ઇચ્છે છે કે તેઓ સ્થાનિક ભાષામાં તેમનું સરનામું અપડેટ કરી શકે છે.

તેમજ, કેટલાક લોકો એ જાણતા નથી કે તેઓ તેમના સરનામાંને તેમની સ્થાનિક ભાષામાં પણ અપડેટ કરી શકે છે. તેઓ અંગ્રેજી ઉપરાંત, આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓમાં પણ તેમના સરનામાંને સુધારી અથવા અપડેટ કરી શકે છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *