આશ્લેષા નક્ષત્રમાં વરસાદ જોગ: જાણો કયું વાહન? કેટલો વરસાદ? કોની કોની આગાહી?

WhatsApp Group Join Now

પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર પછી હવે 3 ઓગસ્ટથી બપોરે 3:53 વાગ્યે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. આશ્લેષા નક્ષત્ર 16 ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે. આશ્લેષા નક્ષત્રનું વાહન ભેંસ છે. આ નક્ષત્રમાં હળવા મધ્યમ ઝાપટાથી અમુક છૂટક વિસ્તારમાં સારા વરસાદને બાદ કરતા બાકીના મોટા ભાગના વિસ્તારમાં સારા વરસાદની કે સારા રાઉન્ડની કોઈ શકયતા નથી.

આશ્લેષા નક્ષત્રની લોકવાયકા:
“આશ્લેષા ચગી તો ચગી, ને ફગી તો ફગી”

લોકવાયકામાં જણાવ્યા અનુસાર, આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તો ખુબ સારો વરસાદ પડે અને ન પડે નો જરાય પણ ન પડે.

હાલ પુષ્પ નક્ષત્ર શરૂ છે અને આ નક્ષત્રમાં ઘણા વિસ્તારોમાં રેડા ઝાપટાંથી લઈને મધ્યમથી-ભારે વરસાદ જોવા મળ્યો છે. જોકે, નક્ષત્રનાં છેલ્લાં દિવસોમાં માત્ર વરસાદી માહોલ સર્જાયો છે. ભારે વરસાદ કોઈપણ વિસ્તારોમાં જોવા મળ્યો નથી.

અંબાલાલ પટેલની આગાહી

જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.

જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપુર્ણ આગાહી કરી છે. તેમાં તેમણે જણાવ્યું કે, 2-3 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ટર્ફ સર્જાશે જેને લઈ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે.

અંબાલાલ પટેલે તેની આગાહીમાં વધુ જણાવ્યું કે, 8થી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમજ પવનની વધુ ગતિથી કચ્છમાં બાગાયતી પાકોને નુકસાનની શક્યતા છે. આ સિવાય ઓગષ્ટમાં દેશના પૂર્વીય રાજ્યોમાં પણ વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની 2 ઓગસ્ટની આગાહીમાં વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થતાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં સામન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી 3 ઓગસ્ટે આણંદ, વડોદરા, અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં આ વર્ષે સીઝનનો કુલ વરસાદ 78 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે અને મોટા ભાગના જળાશયો છલકાયા છે ત્યારે હવામાન વિભાગે કરી એકવાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment