અશોકભાઈ પટેલની આગાહી/ આજથી 7 સપ્ટેમ્બર સુધીની આગાહી, ધોધમાર વરસાદની આગાહી

WhatsApp Group Join Now

હમણાં થોડા દિવસથી કોઇ કોઈ સ્થળોએ છુટછવાયા ઝાપટા વરસી જાય છે કોઈ નોંધપાત્ર વરસાદ થતો નથી. આ દરમિયાન આગામી ૭ સપ્ટેમ્બર સુધી પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમુક દિવસે હળવો મધ્યમ વરસાદ પડશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શકયતા હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ છે.

તેઓએ આગળ જણાવેલ કે ગત તા. 26 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર સુધીની આગાહીમાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 34 તાલુકામાં વરસાદ થયા હતો. જેમા 16 તાલુકામાં 10 મી.મી. કે તેથી વધુ વરસાદ પડ્યો હતો.

કચ્છ અને બાકીના સૌરાષ્ટ્રમાં આઇસોલેટેડ (25% વિસ્તારની અંદર) ઝાપટાઃ ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા હળવો (આગાહીના થોડા દિવસ), મધ્ય ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા હળવો તેમજ આઇસોલેટેડ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે.

ચોમાસુધરી નોર્મલ પોજીશનથી થોડી ઉતર તરફ છે. એક સાયકલોજીક સરકયુલેશન તામિલનાડુના આસપાસના વિસ્તારમાં છે તેની ટ્રફ મધ્યપ્રદેશ સુધી લંબાયેલ છે. હાલમાં જે ધરી નોર્મલથી ઉતર તરફ છે તે ફીરીઝપુર, બરેલી સુકોલ, નાગાલેન્ડ તરફ જાય છે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 1થી 7 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમય દરમિયાન પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ (25% વિસ્તારની અંદર) વિસ્તારમાં મધ્યમ વરસાદ આગાહી સમયના થોડા દિવસ પડશે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી મુજબ 7 સપ્ટેમ્બર સુધીમાં અમુક દિવસોમાં અર્ધા સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ, ક્યાંક મધ્યમ અને અન્યત્ર ઝાપટા પડવાની શક્યતા છે.

જયારે કચ્છ તેમજ બાકીના સૌરાષ્ટ્રમાં આઇસોલેટ ઝાપટા આગાહી સમયના એક-બે દિવસ પડશે. ઉતર ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા હળવો મધ્યમ વરસાદ તેમજ આઇસોલેટેડ ભારે વરસાદ આગાહી સમયના અમુક દિવસ પડશે.

અશોકભાઈ પટેલે આગોતરું એંધાણ આપતાં જણાવ્યું છે કે, તા.8 થી 15 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શકયતા (46 થી 100%) છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment