અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી/ ચોમાસાની વિદાય સમયે મોટી આગાહી, નવરાત્રીમાં કેટલો વરસાદ? ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

નવરાત્રીની આતુરતાથી રાહ જોતા ખેલૈયા માટે માઠા સમાચાર છે હવામાન વિભાગે 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઇ રહી છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, નવસારી, સુરત, દાદરરાનગર હવેલી અને દમણમાં વરસી શકે છે આ ઉપરાંત અમદાવાદ અને આણંદમાં સમાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને બીજા નોરતે એટલે કે 27 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદના વરતારા કર્યા છે.

અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે. 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

અંબાલાલે વધુમાં જણાવ્યું કે, 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment